જૂની કહેવત છે કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા’ તો, આ નર્યા એટલે કે સાજા-નરવા રહેવા માટેની મૂળભૂત જરૂરિયાત છે ખોરાક. અને એ પણ માત્ર ખોરાક નહીં પરંતુ પોષણક્ષમ ખોરાક! આપણે જે ખાઈએ છીએ એ આપણા સ્વભાવ, આચાર-વિચાર માં પ્રસ્તુત થાય છે. ભારત એક વિશાળ દેશ તરીકે પોષણના મામલે ક્યાં છે તેની ખુબ સચોટ માહિતી સાથે, કારણોની પણ ખુબ સ્વસ્થ રીતે છણાવટ કરતો આ લેખ વાંચીએ… આ જ મુદ્દે આંકડાઓમાં રસ પડતો હોય તો, ભારતનાં પોષણ-કુપોષણ સંબધિત રીપોર્ટસ આવું કંઇક કહે છે.
