લગ્નનો આશય બંને પક્ષ પરસ્પર સમૃદ્ધ થાય અને બંને વ્યક્તિ તેમજ પરિવારો સંયુક્ત રીતે સંવર્ધિત થાય એવો હોય ત્યાં, અપેક્ષાઓ આપોઆપ ઓગળી જતી હોય છે. આપણા સમાજમાં આ વિચારસરણી ભલે એટલી પ્રચલિત ન હોય છતાં, ઘણાં પરિવારોમાં પ્રવર્તે છે અને સકારાત્મકતામાં પરિણમે પણ છે. જે સમાજ માટે ભવિષ્યનાં બદલાવનો ઈશારો છે. લોકો આ દિશામાં વિચારતા થશે અને એક દિવસ દરેક ઘરની દીકરી રશ્મિ જેટલી સદ્ભાગી બનશે.. ખરું ને?
