ઝઘડો – Gujarati Poetry

jhaghado gujarati poetry

જાત સાથેની લડાઈમાં પોતાના હિસ્સે માત્ર હાર જ આવે છે, જયારે પણ આવા ઝઘડા ઉદ્ભવતા અનુભવો તો, તરત જ શરણાગતિ સ્વીકારી લેવી એ નુકસાન ટાળવાનો શ્રેષ્ઠત્તમ ઉપાય છે.

મનની અભેરાઈએ પડેલા પ્રશ્નો ખખડે છે.

ઉરમાં ઉઠતાં વમળો માંહોમાંહે ઝઘડે છે.

મનનાં પ્રશ્નો આખેઆખા હચમચાવે છે.

વમળો ને વળી શમી જવાને મન સમજાવે છે.

પ્રશ્નો-વમળો બંને વચ્ચે મન તો ફફડે છે.

ઉરમાં ઉઠતાં વમળો માંહોમાંહે ઝઘડે છે.

ઉઠેલ તરંગો ક્યાંથી ઉઠ્યા, મન તો જાણે ના.

એ જ તરંગો મનને ખેંચી અહીં-તહીં તાણે હા,

કોઈ અહીંથી ને કોઈ તહીંથી મનને જકડે છે.

ઉરમાં ઉઠતાં વમળો માંહોમાંહે ઝઘડે છે.

મનનાં પ્રશ્નો ક્યાં જઇ ધરબૂ, હું તો જાણું નહીં.

ક્યારે ઊઠે ને ક્યારે શમે એ એનું ટાણું નહીં.

મનનું ગાડું હજુ સુધી તો એમ જ ગબડે છે.

ઉરમાં ઉઠતાં વમળો માંહોમાંહે ઝઘડે છે.

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 4 Comments
      1. સાચી વાત. બે વ્યક્તિઓ વચ્ચેનાં ઝઘડાનો અંત આપણે ખસી જઈએ એટલે આવી જ જાય છે પરંતુ, આ આંતરિક ઝઘડો શાશ્વત છે.

    Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal