પંચતંત્રની આ મજેદાર વાર્તા આપણને એક સુંદર સંદેશ આપે છે. આ વાર્તા આપણને શીખવે છે કે, ક્યારેક એવો પણ સમય હોય કે જયારે આપણને કોઈની મદદ કે સહકાર ન પણ મળે, મુસીબતનાં એવા સમયમાં આપણી તીક્ષ્ણ બુદ્ધિ જ આપણી સાચી સાથી છે. મુશ્કેલીનાં સમયમાં પણ જે ડર્યા વિના, સ્વસ્થ મનથી, ઝડપથી વિચારવાની કાબેલિયત ધરાવે છે તે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરી શકે છે!
